દરેક રજિસ્ટર્ડ લારી પર એક વિશિષ્ટ QR કોડ પ્રદર્શિત કરવામાં આવશે. ગ્રાહકો તેને સ્કેન કરીને ફૂડની ગુણવત્તા, સ્વચ્છતા અને પીરસવાની પદ્ધતિ વિશે પોતાનો અભિપ્રાય આપી શકશે. આ ડેટા સીધો કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે પહોંચશે, જેના આધારે જે-તે લારી ધારક સામે જરૂરી સૂચના અથવા કાર્યવાહી કરી શકાશે
એએમસીના ઇન્ચાર્જ એડિ. હેલ્થ ઓફિસર ડો. તેજશ શાહે જણાવ્યું કે, લોકો સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે. તો જાહેર જનતા આપણે ફીડબેક આપી શકે છે. જે તે જગ્યાએ પીરસવામાં આવતું ફૂડ કેવું છે. તેના માટે સિસ્ટમ ડેવલોપ કરી રહ્યા છે. ગુણવત્તા અને શુદ્ધી અંગે જાહેર જનતા ફીડબેક આપી શકે છે.